એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું કારણ આખરે બહાર આવ્યું: ફ્યુઅલ સ્વિચની ભૂલ કે પાઇલોટનો અવગણના? સંપૂર્ણ વિગત વાંચો!
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. 260 લોકો માર્યા ગયા હતા, જેમાં 240 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.
વિમાન ટેક-ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું કે, "શું તમે એન્જિન બંધ કરી દીધું છે?" બીજા પાઈલટે જવાબ આપતાં કહ્યું કે ના મેં બંધ નથી કર્યું.
ક્રેશ થયેલ વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ સ્વીચો બંધ હતા, ત્યારબાદ પાઇલટ્સે તેમને ચાલુ કર્યા અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું.આ વિમાનના ફ્યુઅલ સ્વિચમાં કેવી રીતે ખામી સર્જાઈ તે હજુ સ્પષ્ટ નથી.ટેકઓફથી અકસ્માત સુધી આખી ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી.
વિમાન ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા - ઇંધણ કટ-ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા.
પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો.એન્જિન 1 અમુક હદ સુધી ચાલુ થઈ ગયું, પરંતુ એન્જિન 2 ક્રેશ થાય એ પહેલાં સ્ટાર્ટ ન થઈ શક્યું. વિમાન માત્ર 30 સેકન્ડ માટે હવામાં રહ્યું હતું.અકસ્માત સમયે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હતું. વિઝિબિલિટી પણ બરાબર હતી. આંધી-તોફાન જેવી પણ કોઈ સ્થિતિ નહોતી.